જયા પાર્વતી વ્રત

Jaya Parvati Vrat Katha Gujarati – જયા પાર્વતી વ્રત

5/5 - (1 vote)

જયાપ્રાર્વતી વ્રત એ ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ, કન્યાઓ અને મહિલાઓ માટે અત્યંત પાવન માનવામાં આવે છે. આ વ્રત પાંખીડાની એવી શ્રદ્ધા છે કે જે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી શુભ પતિ અને સુખમય વૈવાહિક જીવન માટે મનોકામના રાખે છે. “જયા પાર્વતી વ્રત કથા ગુજરાતી માં” વાંચવાથી વ્રતના મહત્વ અને પૂજન વિધિની સંપૂર્ણ સમજ મળે છે. તમે અહીંથી Jaya Parvati Vrat Katha In Gujarati PDF Download પણ કરી શકો છો – જે સરળ ભાષામાં આપેલી કથા સાથે સાથે Shiv Parvati Mantra For Quick Marriage In Gujarati પણ શામેલ છે.

Jaya Parvati Vrat 2025 Date મુજબ આ વ્રત આ વર્ષ 12 જુલાઈ 2025 થી શરૂ થઈ 16 જુલાઈ 2025 સુધી ઉજવાશે. આ દિવસો દરમ્યાન વ્રત ધારણ કરનારી મહિલાઓ નિજ ધર્મ પાલન કરે છે અને માતા ગૌરીનો આશીર્વાદ લે છે. ગુજરાતમાં આ વ્રત Gauri Vrat 2025 Date In Gujarat મુજબ પણ ઓળખાય છે અને આ દિવસો માં વિશેષ પૂજા વિધિ અને ઉપવાસ કરવામાં આવે છે.

Jaya Parvati Vrat Is Observed In Ashada Maas By Unmarried Girls And Married Women In Gujarat And Some Other Western India Parts. This Vrat Is Observed For Five Days A Year For 5, 7, 9, Or Maybe Even 11 Years. Jaya Parvati Vrat Katha (The Story Or Legend Of Jaya Parvati Vrat) Is Associated With A Brahmin Woman Who Observed This Vrat To Get Her Husband Free From His Curse(Was Not Really A Curse). The Divine Couple Lord Shiva And Goddess Parvati Is Worshipped During This Vrat.

જયા પાર્વતી વ્રત કથા ગુજરાતીમાં PDF Downlaod

જે બલિકા, કુંવારિકાને ખૂબ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે.

કોઈ સમયે કૌડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા. એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા. તેમને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે, તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે.

ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા. એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાંપને ડંસી લીધો અને તે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નિકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું.

બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વનદેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિ પૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.

આ વ્રત જેમાં સાત વિવિધ પ્રકારનાં ધાન્યનાં બી ઘરે કોડિયામાં માટી ભરી વાવવામાં આવે છે.આ રોપેલા દાણાનું ચાર દિવસ જતન કરવામાં આવે છે. ચોથા દિવસે જાગરણ કરી પાંચમા દિવસે તેનું નદી, વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવ છે. આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને માં પાર્વતી ની પૂજા કરે છે. ભોજનમાં ફક્ત મીઠા(salt)વગર ની વસ્તુઓ ખાવા માં આવે છે.

આપણી વિરાટ હિંદુ સંસ્કૃતિ માં ઘણા વ્રત આવેલ છે, ઘણી વાર આપણને તેનો મર્મ નથી સમજાતો પરંતુ તેની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક આધાર હોઈ છે.

જયા પાર્વતી વ્રત વિધિ / Jaya Parvati Vrat Vidhi

  • અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણા કરવા.
  • ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું.
  • શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો.
  • સૌ પ્રથમ ગણેશપૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બિલિપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી, જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે.
  • કોઈપણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા.
  • પછી વિધિ વિધાનથી ષોડપચાર પૂજન કરવું.
  • માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી.
  • વ્રત દરમ્યાન માત્રને માત્ર ફળ-દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ જમવામાં લઇ શકાય. તે સિવાય એકપણ વસ્તુ ખાવાની મનાઇ છે. દૂધની મીઠાઇ ખાઇ શકાય છે. ટૂંકમાં અલૂણા રહેવાની વાત છે.
  • છેલ્લા દિવસે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.
  • વ્રત દરમ્યાન મીઠું અને અ‍નાજની વસ્તુ ખાવાની મનાઇ છે.
  • વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે.
  • જાગરણ એક પ્રતિક છે, જાગરણમાં ધૂન-ભજન-ઉપાસના-જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતરમનને જાગૃત કરવાની વાત છે.
  • વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે, સાત વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે.
  • મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે, સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે, એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નૌજવાન દીકરીઓ આ પ્રકાના આશિર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે.
  • વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે.અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય, તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલૂણા રહેવાનું મહત્વ છે.

શિવને મેળવવા પાર્વતીએ કર્યું હતું આ વ્રત

પતિ સ્વરૂપે શિવને પામવા માટે પાર્વતીએ આ વ્રત કર્યું હતું. એવું કહેવાય છે કે, જે યુવતીઓ આ વ્રત કરે તેમને ભવિષ્યમાં સારો પતિ મળે છે. જયા-પાર્વતી વ્રતમાં કુંવારી દિકરીઓ મોળાકત ઉપવાસ રાખે છે અને માતા પાર્વતીની પૂજા કરે છે. કન્યાઓ સવારે વહેલા ઉઠી નહાઈ-ધોઈ મંદિરે જઈ મહાદેવ અને પાર્વતીને અબીલ-ગુલાલ, કુંકુ, નાડાછડી, કમરકાકડી, સાકર, નાગરવેલના પાન, ફૂલ, પળ, સોપારી, ધીપ-દીપ વડે પૂજન કરે છે.

મીઠાનો ત્યાગ

આ પાંચ દિવસ દરમિયાન કુંવારી છોકરીઓ ભોજનમાં મીઠાનો ત્યાગ કરે છે. જયા પાર્વતીની કથા સાંભળી ભોજનમાં દૂઘ, દૂધની બનાવટો, મીઠાઈઓ, ફળો અને ઘંઉના લોટની બનેલી વસ્તુઓનો એકટાણામાં ઉપયોગ કરે છે. પાંચ કે સાત વર્ષ સુધી આ વ્રત કરી અંતિમ દિવસે કુમારિકાઓને ઘરે બોલાવી સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે.

રાત્રિ જાગરણ

પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઈ શિવ-પાર્વતીની આરાધના કર્યા બાદ પાંચમા દિવસે રાત્રી જાગરણ કરવામાં આવે છે. જેમાં કુમારિકાઓ ઘરની બહાર નીકળી અનેક પરકારની રમતો રમી રાત્રી પસાર કરે છે. દોડપક્કડ, લંગડી, આંધળી ખીસકોલી, દોરડા વગેરે જેવી રમતો ટોળામાં રમાય છે.

દાનનું મહત્વ

વ્રત પૂરું કર્યા બાદ બ્રાહ્મણ કે સાધુને ક્ષમતા પ્રમાણે દાન કરવામાં આવે છે અને આ રીતે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. સૌભાગ્ય અખંડિતા માટે કંકુ, કાજળ, શ્રૃંગારનો અન્ય સામાન પણ દાનમાં આપવામાં આવે છે.

जया पार्वती व्रत कथा हिन्दी में

पौराणिक कथा के अनुसार किसी समय कौडिन्य नगर में वामन नाम का एक योग्य ब्राह्मण रहता था। उसकी पत्नी का नाम सत्या था। उनके घर में किसी प्रकार की कोई कमी नहीं थी, लेकिन उनके यहां संतान नहीं होने से वे बहुत दुखी रहते थे। एक दिन नारद जी उनके घर पधारें।

उन्होंने नारद की खूब सेवा की और अपनी समस्या का समाधान पूछा। तब नारद ने उन्हें बताया कि तुम्हारे नगर के बाहर जो वन है, उसके दक्षिणी भाग में बिल्व वृक्ष के नीचे भगवान शिव माता पार्वती के साथ लिंगरूप में विराजित हैं। उनकी पूजा करने से तुम्हारी मनोकामना अवश्य ही पूरी होगी। तब ब्राह्मण दंपत्ति ने उस शिवलिंग की ढूंढ़कर उसकी विधि-विधान से पूजा-अर्चना की। इस प्रकार पूजा करने का क्रम चलता रहा और पांच वर्ष बीत गए।

एक दिन जब वह ब्राह्मण पूजन के लिए फूल तोड़ रहा था तभी उसे सांप ने काट लिया और वह वहीं जंगल में ही गिर गया। ब्राह्मण जब काफी देर तक घर नहीं लौटा तो उसकी पत्नी उसे ढूंढने आई। पति को इस हालत में देख वह रोने लगी और वन देवता व माता पार्वती को स्मरण किया। ब्राह्मणी की पुकार सुनकर वन देवता और मां पार्वती चली आईं और ब्राह्मण के मुख में अमृत डाल दिया, जिससे ब्राह्मण उठ बैठा।

तब ब्राह्मण दंपत्ति ने माता पार्वती का पूजन किया। माता पार्वती ( mata parvati ) ने उनकी पूजा से प्रसन्न होकर उन्हें वर मांगने के लिए कहा। तब दोनों ने संतान प्राप्ति की इच्छा व्यक्त की, तब माता पार्वती ने उन्हें विजया पार्वती व्रत करने की बात कहीं। आषाढ़ शुक्ल त्रयोदशी के दिन उस ब्राह्मण दंपत्ति ने विधिपूर्वक माता पार्वती का यह व्रत किया, जिससे उन्हें पुत्र की प्राप्ति हुई। इस दिन व्रत करने वालों को पुत्र रत्न की प्राप्ति होती है तथा उनका अखंड सौभाग्य भी बना रहता है।

PDF File Information :



  • PDF Name:   Jaya-Parvati-Vrat-Katha-Gujarati-જયા-પાર્વતી-વ્રત
    Author :   Live Pdf
    File Size :   170 kB
    PDF View :   69 Total
    Downloads :   📥 Free Downloads
     Details :  Free PDF for Best High Quality Jaya-Parvati-Vrat-Katha-Gujarati-જયા-પાર્વતી-વ્રત to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File At PDFSeva.com 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *